નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બન્યા પછી એમના વિદેશ પ્રવાસની ઘણી ટીકા થઈ છે- હજુ પણ કરવામાં આવે છે.
મૂળે આપણે ( આપણે એટલે બધા જ.. રાજકારણીઓ- પત્રકારો-લેખકો- ચિંતકો- સામાન્ય લોકો ) વિદેશનીતિમાં સંપૂર્ણ કાચા, આંતરરાષ્ટ્રીયનીતિઓ – વિદેશનીતિઓમાં આપણે બહુ તો વેપાર કે શેરબજાર કે અમેરિકા- બ્રિટન- ઓસ્ટ્રેલિયાના વિઝા મળે કે નહિ એટલો જ રસ કે સમજ પડે! એકદમ સીધા શબ્દોમાં કહું તો આપણા મોટાભાગના ભારતીયોને વિદેશ કૂટનીતિમાં સાંધા-સુજની સમજ નથી અને નથી જ. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં રમતા રૂપિયા(ડોલર)ના રાજકારણ કે વિવિધ સહાયને નામે રમાતી કૂટનીતિઓ કે અન્ય રાજ રમતોની કઈ જ સમજ નથી. ઉ.દા. નેપાળ અને ભૂતાનની મુલાકાત દરમ્યાન મોદીએ એ બંને દેશોને અબજોની સહાય જાહેર કરી ત્યારે કેટલાક બુદ્ધિના બળદીયાઓ “ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો “ને નામે કકળાટ કરવા માંડેલા. માથાદીઠ દેવામાં અમેરિકા ઘણું દેવાદાર હોવા છતાં વિશ્વમાં લગભગ દરેક દેશોને ડોલરની અઢળક સહાયનું રાજકારણ રમે છે, (મંદીના સમયગાળામાં પણ એ સહાયનું રાજકારણ બંધ નહિ કરેલું ) જવા દો, બુદ્ધિના બળદીયાઓને આ નહી સમજાય અને માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીના આંધળા વિરોધના ડાબલા બાંધેલા એટલે સમજાશે પણ નહિ. જોકે મોદીના પહેલાથી આપણા મોટાભાગના ભારતીયોમાં વિદેશનીતિની સમજ નથી. કમનસીબે આપણી અન્ય સમસ્યાઓની જેમ આપણી વિદેશનીતિ પણ માત્ર વોટબેંક આધારિત જ છે., ઉ.દા. ઈઝરાયેલ સંદર્ભે.
એટલે જ અત્યાર સુધી પાકિસ્તાન અને ચીન આપણને વિદેશીકુટનીતિમાં મ્હાત કરતા આવ્યા છે.
છેલ્લા ઘણા વર્ષોથી ચીન ભારતની ફરતે (ખાસ કરીને હિન્દમહાસાગરમાં ) અજગર ભરડો લઇ રહ્યું છે કે લઇ ચુક્યું છે. ભારતને ચારે બાજુથી ભીંસમાં લેવાની ચીન-પાકિસ્તાનની રણનીતિને વાસ્તવિક સ્વરૂપ અપાઈ રહ્યું છે. નેપાળમાં માઓવાદીનો સત્તા પ્રયાસ, શ્રીલંકામાં ચીનની છાવણી, માલદીવમાં સતત ચીનનો હસ્તક્ષેપ, બાંગ્લાદેશ-પાકિસ્તાન તો આમ પણ આપણી વિરુદ્ધ જ છે. જો કે નેપાળમાં નરેન્દ્ર મોદીની સતત 2 મુલાકાત પછી હવે ત્યાં થોડા સંજોગો બદલાયા છે. નેપાળ હવે ફરી હિંદુરાષ્ટ્ર બનવા તરફ જઈ રહ્યું છે. અને ત્યાં ભારત તરફી નેતાઓનું જોર વધ્યું છે. ભૂટાન તો પહેલે થી ચીનનું કટ્ટર વિરોધી રહ્યું છે. ( નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી બન્યા બાદ સૌથી પહેલા ભૂટાનની મુલાકાત લીધેલી, જેનો સંદેશો સ્પષ્ટ હતો….)
હમણાં નરેન્દ્ર મોદીએ એવા કેટલાક નાના અને સામાન્ય લાગતા દેશો-ટાપુઓની મુલાકાત લીધી કે જ્યાં છેલ્લા 25-30 વર્ષોથી ભારતના કોઈ પ્રધાનમંત્રીએ મુલાકાત લીધી નહિ હતી.(સેશેલ્સ-ફીજી-મ્યાનમાર વિ.) ત્યાં જવાનું કારણ શું? શું નરેન્દ્ર મોદી અગાઉના રાષ્ટ્રપ્રમુખ પ્રતિભા પાટીલની જેમ સહેલગાહે ગયેલા? થોડું ઊંડાણથી વિશ્લેષણ કરીએ.
જે તે સમયે ભારતની જે તે સરકાર અબજો-ખર્વોના વિવિધ કૌભાંડો કરવામાં વ્યસ્ત હતી-મૌની બાબા માં-બેટાની ગુલામીમાં વ્યસ્ત હતા ત્યારે ચીનએ દક્ષિણ ચીનના સમુદ્ર તટથી સુદાન સુધી એક રેખા રચી કાઢી જેમાં ભારત ભીંસમાં આવી ગયું. સૌથી પહેલા ચીનએ એના દક્ષિણ સાગરતટમાં હૈનાન, વુડી, પરાસલ દ્વીપમાં મજબુત બેઝ બનાવ્યો. પછી હિન્દમહાસાગરમાં આગળ વધ્યું., ચીને બાંગ્લાદેશમાં ચિત્તગોન્ગમાં નૌકાસેનાનું મોટી છાવણી ઉભી કરી છે., શ્રીલંકાના હમ્બ્નબોટામાં એક કોમર્શીયલ શીપીંગ કેન્દ્ર ઉભું કર્યું છે,.( નરેન્દ્ર મોદીની શ્રીલંકા મુલાકાતના બરાબર પહેલા જ શ્રીલંકાન રાષ્ટ્રપ્રમુખનું માછીમાંરોને લાગતું નિવેદન યાદ કરો! થોડી સમજશક્તિ વાપરો તો એ ક્યાંથી આવ્યું તે સમજાશે). પાકિસ્તાનમાં ગ્વાદર બંદર નવું જ ઉભું કરી આપી જેમાં વ્યાપાર અને બીજા બધા અધિકારો ચીન પાસે છે, મતલબ ચીનની છાવણી .. માલદીવ્સ પાસે મારાઓ એટલ વિસ્તારમાં નૌસેનાની એક યુદ્ધ ટુંકડી વિકસાવી છે.. સુદાન-તાન્જાનીયાના બંદરોમાં ચીનનો મોટા પાયે મજબુત પગપેસારો છે. મંદેબ, મલક્કા, હોમરૂઝ,અને લોમ્બોક ખાડીના નાના- મોટા ટાપુઓ પર ચીનના બેઝ બની ચુક્યા છે. આમ હિન્દ મહાસાગરમાં લગભગ દરેક ખૂણે ચીન પહોચી ચુક્યું છે. ચીન- પાકિસ્તાનની રણનીતિ પ્રમાણે ભારત ઘેરાઈ ચુક્યું છે કે ઘેરાઈ શકે છે.
હવે, આ ઉપરના સંદર્ભોમાં નરેન્દ્ર મોદીની નેપાળ- શ્રીલંકા- માલદીવ્સ-વિયેતનામ-સેશેલ્સ-ફીજી-મ્યાનમાર-મોરેશ્યસની મુલાકાતો વિષે વિચારો. એ પહેલા ઉપર જે દેશ-ટાપુઓ લખ્યા છે તે નકશામાં જોઈ લે જો, એટલે તેનું વ્યુહાત્મક મહત્વ સમજાશે. સાથે નરેન્દ્ર મોદીએ આ દેશ-ટાપુઓની માત્ર રાજકીય મુલાકાતો નથી લીધી પરંતુ આ દેશ-ટાપુઓ સાથે એવા લાંબા ગળાના વિવિધ કરારો કર્યા છે કે એ દેશ-ટાપુઓમાં ભારતની હાજરી લાંબા સમય સુધી રહે.. નેપાળમાં વીજળીના કારખાના-સડકો, બીજી પ્રાથમિક સુવિધાઓ બનાવવાની ખાતરી વિ.. સેશેલ્સમાં ભારતનું રડાર લગાવ્યું, એનો કંટ્રોલ મોરેશ્યસમાંથી, એટલે બંને જગ્યાએ ભારતની હાજરી..તોહી માં એર બેઝ બનાવ્યો .. જ્યાંથી ચીનના દક્ષિણ સમુદ્ર પર નજર રાખી શકાય. વિયેતનામમાં ONGCના પ્લાન્ટ શરુ થયા. ત્યાંથી પણ દક્ષિણ ચીન પર નજર રાખી શકાય. અગ્નિ એશિયાના દેશોનું મહત્વ સૌથી પહેલા અટલ બિહારી વાજપેયીએ સમજ્યું હતું. તેમણે અગ્નિ એશિયાના દેશો સાથે સંબંધ વિકસાવવાની શરૂઆત કરી હતી. અગ્નિ એશિયાના દેશોનું ભારત સાથે સાંસ્કૃતિક જોડાણ પણ છે જ… ત્યાં ભારતીયોની વસ્તી પણ પુષ્કળ છે.. એનો પણ લાભ લઇ શકાય છે. નરેન્દ્ર મોદીની રણનીતિ જોતા મારા માનવા પ્રમાણે આવતા મહિનાની જર્મની અને ફ્રાંસની મુલાકાત પછી નરેન્દ્ર મોદીની મુલાકાતના સ્થળ મોઝામ્બીકા, દક્ષિણ આફ્રિકા, ઓમાન, ઇન્ડોનેશીયા, ફીલીપીન્સ, મલેશિયા, સિંગાપોર હશે.
આમ, ચીન-પાકિસ્તાનની અને એમાં પણ ખાસ તો ચીનની વિદેશનીતિની કુટનીતિની શતરંજી ખંધી ચાલોને નરેન્દ્ર મોદીએ માત આપવાની રણનીતિ શરુ કરી છે,. જાપાન પણ ચીનનું કટ્ટર દુશ્મન છે,. અને નરેન્દ્ર મોદીએ જાપાન સાથે ગાઢ સંબંધ વિકસાવ્યા છે.
હવે, શેહ માત ના શતરંજી ખેલમાં કેટલા સફળ થાય એ તો સમય જ બતાવશે. પણ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક સંદેશો તો જરૂર પહોચ્યો છે કે મહાસત્તાઓની ખંધી ચાલને સમજવાવાળો અને સામે એવી જ ચાલ ચાલવાવાળો એક ચા વાળો આવ્યો છે..
અહી મોટી સમસ્યા એ છે કે અત્યાર સુધીના એકાદ-બે શાસક સિવાય કોઈમાં પણ આંતરરાષ્ટ્રીય રાજકારણની વિદેશી કુટનીતિની સમજ હતી નહિ, અને ભારતીયો માં પણ એવી કોઈ સમજ વિકસી નથી એટલે આ બાબતમાં નરેન્દ્ર મોદીને દેશ માંથી સહકાર ઓછો જ મળવાનો છે. ( વિશ્વ ગમે તે કક્ષાએ પહોચે પણ બધું મફતિયું મેળવવાની ગ્રંથીવાળાઓ છે ત્યાં સુધી ભારતનું કઈ જ નહિ થાય.)
આજ થી 10 વર્ષ પહેલા (તા; 29/5/2005ના રોજ ) મેં આતંકવાદ અને ચીનની રણનીતિ વિષે ગુજરાતમિત્ર અખબારમાં એક ચર્ચાપત્ર લખ્યું હતુ, જે આ સાથે મુકયું છે. ઉપરોક્ત વિષયથી થોડું અલગ છે પણ ચીનની રણનીતિ સમજવા માટે ઉપયોગી છે.
“આજે સમગ્ર વિશ્વ આતંકવાદના ભય હેઠળ જીવી રહયું છે. કયારે કયાં હુમલો થશે તેનો કોઈને અંદાજ નથી. અત્યાર સુધી ભારત-ઈઝરાયેલ જ એનો ભોગ બન્યુ છે. થોડા વર્ષોથી રશિયા, અમેરીકા, બ્રિટન,સ્પેન તથા બીજા દેશો પણ તેના ભોગ બન્યા છે.
9/11ની ઘટના પછી અમેરીકા-બ્રિટને પોતાના સ્વાર્થ ખાતર પણ આતંકવાદ સામેની લડાઈને વૈશ્વિક રૂપ આપ્યુ છે. જે અત્યાર સુધી ભારત-ઈઝરાયલ પુરતું હતું. હવે વિશ્વના અન્ય દેશો તેમાં જોડાયા છે. આ બધી મથામણમાં ચીન કયાં છે? એની પર બહું ઓછાનું ધ્યાન ગયુ છે. ચીનની ભૂમિકા રહસ્યમય છે. ચીને જાહેરમાં આંતરરાષ્ટ્રીય મંચ પર કદીપણ આતંકવાદ વિશે કોઈ ટીકા કરી હોય એવું ધ્યાનમાં નથી કે કોઈ આતંકવાદી ગ્રૂપે પણ ચીન સામે કદી જેહાદ કે એવું કઈ જાહેર કર્યું નથી. . કેટલીક ઘટના થકી તાગ મેળવીએ. ૧.પાક.ના અણુબોંબજનક ડો. અ.કયુ.ખાને ચીનની મુલાકાત લીધેલી તે સમયે ચીને તેમને અણુબોમ્બની બ્લ્યુપ્રિન્ટ આપેલી જે પછીથી ઉ.કોરિયા સહિત બીજા દેશો, આતંકવાદી સંસ્થા પાસે પહોંચી હોવાની શંકા છે. ૨.પાક.માં પ્લુટેનિયમની ફેકટરી ચીને બનાવી આપી છે. તેના વડાએ ૯/૧૧ની ઘટનાના થોડા દિવસ અગાઉ લાદેનની મુલાકાત લીધી હતી. ૭\૭ની લંડનની ઘટનામાં વપરાયેલ બોંબની સામગ્રી ચીનના બીજીંગથી થોડા માઈલ દુર ફેકટરીમાં બનાવેલ હતી. (મોસાદ).
આમ, છાનેછપને ચીન આતંકવાદને મદદ કરી રહયુ છે. આની પાછળ ચીનની મહેચ્છા વૈશ્વિક અર્થતંત્ર પર કાબુ મેળવવાની છે. અમેરીકા, યુરોપ, ભારત, રશિયા,જાપાન,ઓસ્ટ્રેલિયા જેવા મજબુત અર્થતંત્ર ધરાવતા દેશોને સતત આતંકવાદના ભય નીચે રાખી એ દેશોના અર્થતંત્રને વ્યાપક નુકસાન પહોંચાડી પોતાના અર્થતંત્રને મજબુત કરવાનો છે.”